શનિવાર, 1 ઑગસ્ટ, 2015

શાને ?


સાવ અમસ્તા મળવું શાને ?
એકબીજાને છળવું શાને ?

સરવર થઇને જીવ્યાં, બસ છે;
સાગર થઇ ખળભળવું શાને ?

સાહસ હોય તો માર ડૂબકી;
તટ ઉપર ટળવળવું શાને ?

અજવાળું થ્યું, એ જ ઘણું છે;
પાસે જઇને બળવું શાને ?

ભીતર આ ભંડાર ભર્યો છે;
બ્હાર હવે નીકળવું શાને ?
     
                                     - જિત ઠાડચકર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો