હે બાપુ! ભગતસિંહ, હે આઝાદ, નહેરુ! જો વેરાન આખું ચમન થઇ રહ્યું છે;
બને સ્વાર્થઘેલો અહીં એક માણસ, ને બરબાદ આખું વતન થઇ રહ્યું છે.
હે આંબેડકર ! કાયદાને બધાં પોતપોતાના ખિસ્સામાં લઇને ફરે છે;
રહ્યું છે હવે ક્યાં ચલણ મૂલ્ય કેરું ? સરેઆમ સૌનું પતન થઇ રહ્યું છે.
સરેઆમ સૌનું પતન થઇ રહ્યું છે.
-'જિત' ઠાડચકર